CRICKET
Pakistan Champions: બાબરને કોઈ ઉતાવળ નથી…, સ્ટમ્પ માઈકમાં કેદ થઈ રમૂજી ઘટના, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનનો વીડિયો થયો વાયરલ
Pakistan Champions: બાબરને કોઈ ઉતાવળ નથી…, સ્ટમ્પ માઈકમાં કેદ થઈ રમૂજી ઘટના, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનનો વીડિયો થયો વાયરલ
Babar Azam તેની સ્ટ્રાઈક રેટને લઈને ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યો છે. આ વખતે મેચ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને બાબરને તેની સ્ટ્રાઈક રેટ પર ટ્રોલ કર્યો હતો.
પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ODI ક્રિકેટમાં તેની ક્લાસિકલ રમત માટે જાણીતો છે. પરંતુ આજના ઝડપી ક્રિકેટના યુગમાં તેની રમવાની શૈલી જૂની થઈ રહી છે. બાબરનો સ્ટ્રાઈક રેટ 88 છે, જે ODIમાં અસરકારક માનવામાં આવતો નથી, જ્યારે T20 ફોર્મેટમાં તેનો સ્ટ્રાઈક રેટ 129 છે. આ ધીમી રમતને કારણે જ્યારે તે મોટા રન બનાવવા માટે સક્ષમ છે, ત્યારે ટીમ પર દબાણ સતત વધી રહ્યું છે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ઓડીઆઈ કપ મેચમાં બાબર આઝમે શરૂઆતની કેટલીક ઓવરોમાં જ સારી શરૂઆત કરી ત્યારે આશા જાગી હતી. પરંતુ ટૂંક સમયમાં જ તેની રમત ફરી ધીમી પડી ગઈ. એક સમયે તે 10 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો હતો, પરંતુ પછીના 22 બોલમાં તે માત્ર 10 રન જ બનાવી શક્યો, જેના કારણે તેની ટીમની સ્થિતિ બગડવા લાગી.
Sarfaraz Ahmed – Babar Azam ને ટ્રોલ કર્યો હતો
બાબર આઝમની ઈનિંગ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિપક્ષી ખેલાડી સરફરાઝ અહેમદે તેની સ્ટ્રાઈક રેટ પર કટાક્ષ કર્યો હતો. તેણે મજાકમાં કહ્યું કે બોલરોએ બાબરને આઉટ ન કરવો જોઈએ અને તેને 40મી ઓવર સુધી ક્રિઝ પર રહેવા દેવો જોઈએ. સરફરાઝે કહ્યું, “કોઈ ઉતાવળ નથી, કોઈ ઉતાવળ નથી. બસ તેમને બાબરને કહો, બાબર કરતા રહો, અમે બાબરને 40 ઓવર ફેંકીશું.”
Sarfaraz Ahmad trolling Babar Azam:
" isy 40 overs tk khelnay do , isy out nai krna"Even Saifi bhai knows Babar Azam is a selfish player & whenever he scores runs , his team often lost the game.#ChampionsCup
— Cric mate (@matecric07) September 19, 2024
Babar Azam ICC રેન્કિંગના ટોપ-10માંથી બહાર
Babar Azam માટે વર્ષ 2024 ખૂબ જ પડકારજનક રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેની બેટિંગ નબળી રહી હતી, જ્યાં તેણે ચાર ઇનિંગ્સમાં માત્ર 64 રન બનાવ્યા હતા. પરિણામે, તે ICC રેન્કિંગના ટોપ-10માંથી બહાર થઈ ગયો.
CRICKET
MI vs SRH : કોણ બનશે કેપ્ટન? સૂર્યકુમાર કે અભિષેક? જાણો શ્રેષ્ઠ ટીમ
MI vs SRH : કોણ બનશે કેપ્ટન? સૂર્યકુમાર કે અભિષેક? જાણો શ્રેષ્ઠ ટીમ
આઈપીએલ 2025નો 33મો લીગ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. બંને ટીમ માટે આ મેચ ખુબ જ મહત્વની છે, કારણ કે પ્લેઓફમાં પહોંચવા માટે હવે દરેક મેચ જીતવી જરૂરી બની ગઈ છે.
પોઈન્ટ્સ ટેબલ પર બંને ટીમોનું પરફોર્મન્સ સમાન
મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદે અત્યારસુધી 6-6 મુકાબલા રમ્યા છે. બંને ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં આ મુકાબલાની જીત બંને માટે પ્લેઓફ રેસને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ રહેશે.
ડ્રીમ11 ટીમમાં આ ખેલાડીઓને સામેલ કરો
તમારી Dream11 ટીમ માટે 2 વિકેટકીપર, 4 બેટ્સમેન, 2 ઓલરાઉન્ડર અને 3 બોલરો પસંદ કરી શકાય છે:
વિકેટકીપર:
- હેનરિક ક્લાસેન
- ઈશાન કિશન
બેટ્સમેન:
- સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન)
- ટ્રેવિસ હેડ
- રોહિત શર્મા
- નિતીશ કુમાર રેડ્ડી
ઓલરાઉન્ડર:
- હાર્દિક પંડ્યા
- અભિષેક શર્મા
ગેંદબાજ :
- જસપ્રીત બુમરાહ (વાઈસ કૅપ્ટન)
- પૅટ કમિન્સ
- ટ્રેન્ટ બૌલ્ટ
હેડ ટુ હેડ રેકોર્ડ: મુંબઈ આગળ
આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી 13 મુકાબલા મુંબઈએ જીતી છે જ્યારે હૈદરાબાદ માત્ર 10 મેચ જીતી શકી છે. એટલે કે આ મેચ ખુબ જ જબરદસ્ત બનવા જઈ રહી છે.
ધ્યાન આ પર રાખો:
સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા બંને સારી ફોર્મમાં છે, પરંતુ કેપ્ટન તરીકે SKY વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જયારે બુમરાહને વાઈસ કૅપ્ટન બનાવી શકાય છે.
CRICKET
Bcci Contract: રોહિત અને કોહલીને ફરીથી મળશે 7 કરોડ? BCCIના નિર્ણય માટે રાહ જુઓ ઓક્ટોબર સુધી!
Bcci Contract: રોહિત અને કોહલીને ફરીથી મળશે 7 કરોડ? BCCIના નિર્ણય માટે રાહ જુઓ ઓક્ટોબર સુધી!
બીસીસીઆઈએ હાલમાં મહિલા ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે, પરંતુ પુરુષ ટીમના કોન્ટ્રાક્ટ વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ આગામી કેટલાક મહિનાઓમાં આ મામલે નિર્ણયો લઈ શકે છે.
કોન્ટ્રાક્ટની જાહેરાત હવે ઓક્ટોબરમાં શક્ય
ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma અને પૂર્વ કેપ્ટન Virat Kohli હાલમાં IPL 2025માં વ્યસ્ત છે. જોકે, IPL પૂરો થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થશે અને આવનારા 6 મહિના બંને માટે ખૂબ મહત્વપૂર્ણ રહી શકે છે. કારણ કે બીસીસીઆઈનું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અત્યારથી ઓક્ટોબર વચ્ચે જાહેર થવાની શક્યતા છે.
સામાન્ય રીતે બીસીસીઆઈ માર્ચ સુધીમાં કોન્ટ્રાક્ટ જાહેર કરે છે, પણ આ વખતે વિલંબ થયો છે. વિશેષ કરીને રોહિત અને વિરાટના ભવિષ્યને લઈને સ્પષ્ટતા ના હોવાને કારણે.
હાલના કેપ્ટન અને પૂર્વ કેપ્ટન પર બધાની નજર
રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ હાલના ટેસ્ટ પ્રદર્શન અને ખાસ કરીને રોહિત શર્માના ભવિષ્યને ધ્યાનમાં લઈને હજુ કોઈ નિર્ણય લીધો નથી. કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ સિલેકશન કમિટી અને કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરી રહ્યો છે.
બોર્ડના સૂત્રો મુજબ, જો જરૂરી પડશે તો પાછલી જ કોન્ટ્રાક્ટ લિસ્ટ જ જારી રાખી શકાય છે, પણ ઓક્ટોબર સુધીમાં જો જાહેરાત થશે તો વાત વધુ સ્પષ્ટ થશે.
શું ફરીથી મળશે સૌથી વધુ પૈસા?
જોકે ચર્ચા રોહિત શર્માના ટેસ્ટ ભવિષ્યની છે, પણ વિરાટ કોહલીના તાજા ફોર્મને લઈ પણ પ્રશ્નો ઉભા થયા છે. બંને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમશે અને તેમનું પ્રદર્શન નક્કી કરશે કે શું તેઓ A+ કેટેગરીમાં યથાવત રહેશે કે નહીં.
હાલમાં A+ કેટેગરીમાં કુલ 7 કરોડ રૂપિયા વાર્ષિક મળતા હોય છે અને તે લિસ્ટમાં હાલ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સામેલ છે.
CRICKET
Sanju Samson: માત્ર 3 છકા દૂર! સંજુ સૈસન ધોનીનો રેકોર્ડ તોડવાના દહેલીજ પર
Sanju Samson: માત્ર 3 છકા દૂર! સંજુ સૈસન ધોનીનો રેકોર્ડ તોડવાના દહેલીજ પર.
આઈપીએલ 2025ના આગામી મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના કપ્તાન Sanju Samson ઇતિહાસ રચી શકે છે. 16 એપ્રિલે દિલ્હીના વિરુદ્ધ રમાનારા મેચમાં જો તેઓ ફક્ત 3 છક્કા ફટકારશે તો એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તૂટી જશે.
શું છે રેકોર્ડ?
ટી-20 ક્રિકેટમાં એમએસ ધોનીએ અત્યાર સુધી 398 મેચોમાં કુલ 346 છક્કા ફટકાર્યા છે. સંજુ સૈમસન 301 મેચોમાં અત્યાર સુધી 344 છક્કા ફટકારી ચૂક્યા છે. એટલે કે તેમને ધોનીની બરાબરી કરવા માટે 2 છક્કા અને રેકોર્ડ તોડવા માટે 3 છક્કાની જરૂર છે. જો તેઓ 6 છક્કા ફટકારશે તો 350 છક્કા વાળા ખેલાડીઓની યાદીમાં તેમનું નામ પણ શામેલ થઇ જશે.
આઈપીએલ 2025માં Sanju Samson નો ફોર્મ
આ સીઝનમાં સંજુ સૈમસન શાનદાર ફોર્મમાં છે. 6 મેચમાં તેઓએ 32.16ની સરેરાશ અને 140.87ના સ્ટ્રાઈક રેટથી કુલ 196 રન બનાવ્યા છે. શરૂઆતના મેચોમાં તેઓ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યા હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણ રીતે કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે.
આઈપીએલ 2025માં અત્યાર સુધી સૌથી વધુ છક્કા ફટકારનારા ખેલાડીઓ:
- નિકોલસ પૂરણ (LSG) – 16 છક્કા
- શ્રેયસ અય્યર (PBKS) – 13 છક્કા
- અનિકેત વર્મા (SRH) – 12 છક્કા
- મિશેલ માર્શ (LSG) – 10 છક્કા
- અજિંક્ય રહાણે (KKR) – 10 છક્કા
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET5 months ago
Shreyas Iyer: શ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા હલચલ મચાવી,રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.