Connect with us

CRICKET

CT 2025: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્મા બન્યા કેપ્ટન, માઈકલ ક્લાર્કે ઓપનર તરીકે પણ પસંદ કર્યો!

Published

on

michel1

CT 2025: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્મા બન્યા કેપ્ટન, માઈકલ ક્લાર્કે ઓપનર તરીકે પણ પસંદ કર્યો!

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો છે. ફાઈનલમાં Rohit Sharma ની આગેવાની હેઠળ ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે પરાજય આપ્યો. આ જીત સાથે ભારત ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની. રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર દેખાવ કર્યો, જ્યાં વિરાટ કોહલીએ બેટિંગમાં કમાલ કરી અને ચાર સ્પિનર્સનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ટીમ માટે લાભદાયક સાબિત થયો.

michel

આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન Michael Clarke ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે, જેમાં તેમણે રોહિત શર્માને કેપ્ટન બનાવ્યા છે.

Michael Clarke એ Rohit ને સોંપી કેપ્ટનશીપ

માઇકલ ક્લાર્કે એક પોડકાસ્ટમાં રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરેલી ટીમમાં કેપ્ટન બનાવ્યો છે. રોહિતનું બેટ આખા ટૂર્નામેન્ટમાં શાંત રહ્યું, પણ ફાઈનલમાં તેમણે ન્યુઝીલેન્ડ સામે 76 રનની મહત્વની ઇનિંગ રમી હતી. રોહિત અને શુભમન ગિલની શતકીય ભાગીદારીએ ભારતની જીતનો રસ્તો સરળ બનાવી દીધો. ક્લાર્કે રોહિતને કેપ્ટન ઉપરાંત ઓપનર તરીકે પણ પસંદ કર્યો છે.

rohit

9 મહિનામાં બે ICC ટ્રોફી

રોહિત શર્માની આગેવાનીમાં ભારતે છેલ્લા 9 મહિનામાં બે મોટી ICC ટ્રોફી જીતવાની સિદ્ધિ મેળવી છે. 2024માં વિન્ડીઝમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ બાદ હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ ભારતે જીતી. રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્પિનર્સનો જે પલાન અપનાવ્યો, તે ટીમ માટે જીતનો મહત્ત્વપૂર્ણ ભાગ સાબિત થયો.

CRICKET

Axar Patel બન્યા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન, KL રાહુલે આપી ખાસ પ્રતિક્રિયા

Published

on

kl rahul1

Axar Patel બન્યા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન, KL રાહુલે આપી ખાસ પ્રતિક્રિયા.

દિલ્લી કેપિટલ્સ IPL 2025 માટે નવી કેપ્ટનશિપ સાથે મેદાનમાં ઉતરશે. ટીમે Axar Patel ને નવી જવાબદારી સોંપી છે. અક્ષરનો કુલ પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેઓ બેટિંગ અને બોલિંગ બંનેમાં પ્રભાવશાળી રહ્યા છે. હવે તેઓ નવી ભૂમિકા માટે તૈયાર છે. અક્ષરને કેપ્ટન બનાવ્યા પછી KL Rahul પણ પ્રતિક્રિયા આપી છે અને એક ખાસ વચન પણ આપ્યું છે.

kl rahul

KL રાહુલ, જે અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમતા હતા, તેઓ આ વર્ષે દિલ્હી કેપિટલ્સ માટે રમશે. મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે તેમને ખરીદ્યા હતા. અક્ષરને કેપ્ટન બનાવ્યા પછી KL રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું, “બધાઈ હો બાપુ! તને નવી સફર માટે શુભેચ્છાઓ, હું તારી સાથે છું.”

Axar Patel નો IPL કરિયર અત્યાર સુધી

Axar Patel અત્યાર સુધી 150 IPL મેચ રમી છે અને 1653 રન બનાવ્યા છે. તેમણે 3 અર્ધશતકો ફટકાર્યા છે. બોલિંગમાં, તેમણે 123 વિકેટ લીધી છે, જેમાં તેમનો શ્રેષ્ઠ સ્પેલ 21 રનમાં 4 વિકેટનો છે. તાજેતરમાં, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ અક્ષરે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. ઓડીઆઈ ક્રિકેટમાં તેમણે 72 વિકેટ સાથે 783 રન બનાવ્યા છે.

axar114

 KL Rahul નું IPL રેકોર્ડ

KL રાહુલે 132 IPL મેચમાં 4683 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 4 સદી અને 37 અર્ધસદી ફટકારી છે. તેમની સૌથી મોટી IPL ઈનિંગ 132 રનની રહી છે. KL રાહુલે 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે IPL ડેબ્યૂ કર્યું હતું, જો કે તે મેચમાં તેમને બેટિંગનો મોકો મળ્યો નહોતો.

IPL 2025માં અક્ષર પટેલની કેપ્ટનશિપ હેઠળ દિલ્હી કેપિટલ્સ કેવી પ્રદર્શન કરશે એ જોવું રસપ્રદ રહેશે.

Continue Reading

CRICKET

WPL 2025 ની ઈનામી રકમ કેટલી? PSL કરતાં ઘણી વધુ મળશે પ્રાઈઝ મની!

Published

on

wpl111

WPL 2025 ની ઈનામી રકમ કેટલી? PSL કરતાં ઘણી વધુ મળશે પ્રાઈઝ મની!

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025 ના ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટક્કર આપશે. જે ટીમ ચેમ્પિયન બનશે તેને કરોડો રૂપિયાની ઇનામી રકમ મળશે, જે પાકિસ્તાન સુપર લીગ (PSL) કરતાં ઘણી વધુ છે.

delhi

WPL 2025 ફાઇનલ: મુંબઈ vs દિલ્હી

મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં WPL 2025 નો ફાઇનલ રમાશે, જેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. દિલ્હી કેપિટલ્સ લગાતાર ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે, પરંતુ તે પહેલા બે વખત હારી ગઈ હતી. બીજી તરફ, મુંબઇ ઇન્ડિયન્સ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે, અને તે 2023 માં ચેમ્પિયન બની ચૂકી છે.

WPL 2025 માટે ઇનામી રકમ કેટલી હશે?

BCCI એ WPL 2025 ની ઇનામી રકમ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, અનુમાન છે કે આ વખતે પણ 2024 જેટલી જ પ્રાઇઝ મની મળશે.

  • 2024 WPL ચેમ્પિયન RCB (કપ્તાન: સ્મૃતિ મંધાના) ને ₹6 કરોડ ની ઇનામી રકમ મળી હતી.
  • ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સ ને ₹3 કરોડ મળ્યા હતા.

delhi1

આ રકમ પાકિસ્તાન સુપર લીગ (PSL) કરતાં ઘણી વધારે છે.

PSL કરતા WPL ની પ્રાઇઝ મની વધુ

પાકિસ્તાન સુપર લીગ (PSL) ની શરૂઆત 2016 માં થઈ હતી. PSL 2024માં Islamabad United ચેમ્પિયન બની હતી, જેને માત્ર ₹4.13 કરોડની પ્રાઇઝ મની મળી હતી.

  • PSL 2024 ના ઉપવિજેતા મુલ્તાન સુલતાન્સ ને માત્ર ₹1.65 કરોડ ની ઇનામી રકમ મળી હતી.
  • તેથી WPL ની ઇનામી રકમ PSL કરતાં ઘણી વધુ છે.

જો આને IPL સાથે સરખાવીએ, તો IPL ચેમ્પિયનને ₹20 કરોડ સુધીની ઇનામી રકમ મળે છે, જે PSL કરતા ઘણું વધારે છે.

ઓરેજ કેપ અને પર્પલ કેપ માટે પણ ઇનામ

IPL ની જેમ WPLમાં પણ ઓરેજ કેપ અને પર્પલ કેપ આપવામાં આવે છે:

  • ઓરેજ કેપ – સૌથી વધુ રન બનાવનાર ખેલાડી માટે ₹5 લાખ ઇનામ
  • પર્પલ કેપ – સૌથી વધુ વિકેટ લેવા વાળી બોલર માટે ₹5 લાખ ઇનામ

delhi11

હાલમાં, ઓરેજ કેપ માટે નેટ સાયવર-બ્રન્ટ આગળ છે, અને પર્પલ કેપ માટે હેલી મૈથ્યુઝ ટોચ પર છે.

 

Continue Reading

CRICKET

IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે રોહિત શર્માને મળશે કૅપ્ટનશીપ? જાણો તાજું અપડેટ!

Published

on

IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે રોહિત શર્માને મળશે કૅપ્ટનશીપ? જાણો તાજું અપડેટ!

India and England વચ્ચે જૂનમાં પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમની કૅપ્ટનશીપ કોણ સંભાળશે, તેને લઈને મોટો અપડેટ આવ્યો છે.

rohit

ભારતે Rohit Sharma ની આગેવાની હેઠળ તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવામાં સફળતા મેળવી છે. તેનાથી પહેલા ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયું હતું, જ્યાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કૅપ્ટન રોહિત સહિત આખી ટીમને ખરાબ પ્રદર્શન માટે ટીકા સહન કરવી પડી હતી. જોકે, હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી આ પ્રશ્નોનો જવાબ મળી ગયો છે.

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે Rohit ને મળી શકે છે કૅપ્ટનશીપ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જૂન અને જુલાઈમાં પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ યોજાવાની છે. આ માટે ભારતીય ટીમ IPL પછી ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે.રિપોર્ટ મુજબ, આ સિરીઝમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કૅપ્ટનશીપ કરી શકે છે. BCCI એકવાર ફરીથી રોહિત પર ભરોસો મૂકી શકે છે. જો કે, હજુ સુધી આ બાબત પર કોઈ અધિકૃત ઘોષણા કરવામાં આવી નથી.

sharma

BCCIના અધિકારીઓને Rohit Sharma પર છે પૂરો ભરોસો

Rohit Sharma એ 2024માં ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ત્યારબાદ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. 2023ના ODI વર્લ્ડ કપમાં પણ રોહિતની આગેવાનીમાં ભારત ફાઇનલ સુધી પહોંચ્યું હતું. રિપોર્ટ અનુસાર, BCCIના અધિકારીઓ રોહિતની કૅપ્ટનશીપથી ખુશ છે અને તેમને ફરી તક આપી શકે છે.

sharma11

એક મહત્વની વાત એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રોહિતના નિવૃત્તિના સમાચારો ચર્ચામાં હતા. જોકે, ફાઇનલ જીત્યા બાદ રોહિતે આ અટકળોને ખોટી સાબિત કરી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં Rohit Sharma નું અત્યાર સુધીનું પ્રદર્શન

Rohit Sharma એ અત્યાર સુધી 67 ટેસ્ટ મેચ રમ્યા છે, જેમાં 4302 રન બનાવ્યા છે. તેમના નામે 12 શતકો અને 18 અર્ધશતકો નોંધાયેલા છે, જેમાં એક દ્વિશતક પણ શામેલ છે. વન ડે ફોર્મેટમાં રોહિતે 273 મેચમાં 11168 રન બનાવ્યા છે.

 

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper