Connect with us

CRICKET

BCCI એ IPL 2025 માટે અમ્પાયરોની યાદી કરી જાહેર , જાણો કોણ કરશે અમ્પાયરિંગ.

Published

on

BCCI એ IPL 2025 માટે અમ્પાયરોની યાદી કરી જાહેર , જાણો કોણ કરશે અમ્પાયરિંગ.

IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. એ પહેલાં BCCI એ નવા સીઝન માટે અમ્પાયર પેનલની જાહેરાત કરી દીધી છે.

IPL 2025 માટે અમ્પાયરોની યાદી જાહેર

IPL 2025 માટે BCCI એ અમ્પાયરોની નવી યાદી જાહેર કરી છે. આ વખતે સાત નવા ભારતીય અમ્પાયરોને તક આપવામાં આવી છે. જેમાં સ્વરૂપાનંદ કન્નૂર, અભિજીત ભટ્ટાચાર્ય, પારાશર જોશી, અનીશ સહસ્રબુદ્ધે, કેયુર કેલકર, કૌશિક ગાંધી અને અભિજીત બેગરીના નામ સામેલ છે. ઉપરાંત, અનુભવી અમ્પાયર એસ રવિ અને સી.કે. નંદનને મેન્ટોર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થશે અને પ્રથમ મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKR અને RCB વચ્ચે રમાશે.

ampayar

નવા અમ્પાયરોને તક આપવા માટે BCCI ની નવી રણનીતિ

BCCI નું માનવું છે કે IPL જેવા હાઈ-પ્રોફાઈલ ટુર્નામેન્ટમાં નવા અમ્પાયરોને તક આપવા થી તેમને દબાણભર્યા પરિસ્થિતિઓમાં અમ્પાયરિંગનો અમૂલ્ય અનુભવ મળશે. તામિલનાડુના ભૂતપૂર્વ ક્રિકેટર કૌશિક ગાંધીને પણ આ પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કૌશિક ગાંધી 34 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યા છે અને અમ્પાયર તરીકે આ તેમનો બીજો સીઝન હશે. તે પહેલાથી જ મહિલા આંતરરાષ્ટ્રીય મેચો અને મહિલા પ્રીમિયર લીગમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે અને તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

Anil Chaudhary હવે કરશે કમેન્ટ્રી

IPL 2025 માં આંતરરાષ્ટ્રીય અમ્પાયરોની યાદીમાંથી શ્રીલંકાના કુમાર ધર્મસેના બહાર થઈ ગયા છે. ઉપરાંત, IPL 2024 માં અમ્પાયરિંગ કરનાર અનિલ ચૌધરી પણ આ વખતે મેદાન પર જોવા મળશે. તેમણે અમ્પાયરિંગ છોડી ને હવે કમેન્ટ્રી શરૂ કરી છે અને આ સીઝન દરમિયાન કમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે.

ampayar1

આ સાથે, તનમય શ્રીવાસ્તવ પણ IPL 2025 માં અમ્પાયર તરીકે નિમાઈ શકે છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) એ પુષ્ટિ કરી હતી કે તનમયને આ સીઝન માટે અમ્પાયરિંગની જવાબદારી સોંપવામાં આવી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRICKET

Hardik Pandya ની ધોની સ્ટાઈલ મોહમાં ગઈ મેચ, આકાશ અંબાણીનો રિએક્શન વાયરલ.

Published

on

akash1

Hardik Pandya ની ધોની સ્ટાઈલ મોહમાં ગઈ મેચ, આકાશ અંબાણીનો રિએક્શન વાયરલ.

મેચના છેલ્લા ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 22 રનની જરૂર હતી. Hardik Pandya એ ઓવરની પહેલી બોલ પર છક્કો ફટકાર્યો અને બીજી બોલ પર બે રન લીધા. પરંતુ ત્રીજી બોલ પર માત્ર સિંગલની શક્યતા જોઈને તેમણે ધોની જેવી સ્ટ્રેટેજી અજમાવી. પણ આ જોઇને Akash Ambani ગુસ્સે થઈ ગયા.

akash

મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ખરાબ પ્રદર્શન ચાલુ જ છે. ટીમ આ સીઝનમાં અત્યાર સુધીમાં 3 મેચ હારી ચૂકી છે. 4 એપ્રિલના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) સામે 12 રનથી હાર મળી. જોકે, એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુંબઈ જીતશે. પરંતુ છેલ્લાં બે ઓવરમાં લખનૌના બોલરોની કમાલની બોલિંગ સામે મુંબઈએ ઘૂંટણ ટેકી દીધાં. હાર્દિક પંડ્યાએ ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ટીમને જીતાડવામાં નિષ્ફળ રહ્યા.

Hardik Pandya પર શા માટે ગુસ્સે થયા Akash Ambani?

છેલ્લા ઓવરમાં 6 બોલમાં 22 રનની જરૂર હતી. લખનૌના કપ્તાન ઋષભ પંતે ઓવર માટે અવેશ ખાનને બોલ આપ્યો. પંડ્યાએ ધોનીની જેમ મેચ જીતાડવાનો પ્રયાસ કર્યો, જે આકાશ અંબાણીને પસંદ ન આવ્યો. પ્રથમ બે બોલ પર 8 રન કર્યા પછી ત્રીજી બોલ પર શોટ કનેક્ટ ન થયો અને બોલ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ગયો. નોન-સ્ટ્રાઈક પર રહેલા મિચેલ સેન્ટનર એક રન માટે દોડ્યા, પણ પંડ્યાએ તેમને ક્રિઝના મધથી પાછા બોલાવી દીધા. આ દ્રશ્ય જોઈને આકાશ અંબાણી ગુસ્સે થઈ ગયા.

ડૉટ બોલ Hardik Pandya ને ભારે પડ્યો

ત્રીજી બોલ પર સિંગલ નહીં લેવાને કારણે મુંબઈને નુકસાન થયું. અવેશ ખાને ચોથી બોલ પર યોર્કર ફેંકી અને પંડ્યા રન નહીં લઈ શક્યા. હવે 2 બોલમાં 14 રન બાકી રહ્યા હતા. પંડ્યાએ છક્કા ફટકાર્યા હોત તો પણ મુંબઈ માત્ર 1 રનથી મેચ હારી જત. જોકે, અંતિમ બે બોલમાં ફક્ત એક રન જ બન્યો. જો પંડ્યાએ સેન્ટનરને ત્રીજી બોલ પર સ્ટ્રાઈક આપી હોત તો કદાચ જીતનો એક મોકો બની શકે તેમ હતો, જે ગુમાવાયો.

hardik12

Tilak Verma સાબિત થયા વાસ્તવિક ‘વિલન’

હાર્દિક પંડ્યાની ભૂલ તો હતી પણ મુંબઈની હારમાં સૌથી મોટો ભાગ તિલક વર્માનો રહ્યો. તિલક સતત એક-એક રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા અને તેમણે ખૂબ ધીમી પારી રમી. 23 બોલમાં માત્ર 25 રન કરીને તેઓ રિટાયર્ડ આઉટ થયા. આ ધીમી ઇનિંગ 204 રનના ટાર્ગેટ સામે મોટી અડચણ સાબિત થઈ.

 

Continue Reading

CRICKET

Imam ul Haq ને બૉલ વાગતા લાગી ગંભીર ઈજા, મેચની વચ્ચે એમ્બ્યુલન્સમાં લઈ જવાયા

Published

on

Imam ul Haq ને બૉલ વાગતા લાગી ગંભીર ઈજા, મેચની વચ્ચે એમ્બ્યુલન્સમાં લઈ જવાયા.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજા વનડે દરમિયાન પાકિસ્તાનના ઓપનર Imam ul Haq ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક ડાયરેક્ટ થ્રો સીધો તેમની જાળીવાળા હેલ્મેટમાંથી પસાર થઈને જબ્રા પર લાગી.

imam

પાકિસ્તાન ટીમે 265 રનની લક્ષ્યનો પીછો શરૂ કર્યો ત્યારે ઇમામ અને અબ્દુલ્લા શફીક બેટિંગ કરવા ઊતરી આવ્યા હતા. ત્રીજા ઓવર દરમિયાન રન લેવા દોડ્યા ત્યારે ફીલ્ડરનો થ્રો સીધો ઇમામના હેલ્મેટની જાળીમાંથી અંદર જઈને જબ્રા પર લાગ્યો. તેમા તેમને ગંભીર ઈજા થઈ.

ઘટનાની તરત બાદ મેદાન પર મેડિકલ ટીમ પહોંચી ગઈ, પણ ઇમામની સ્થિતિ ગંભીર લાગતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા.

કન્કશન બદલાવ તરીકે Usman Khan મેદાને

ઇમામ ઉલ હકની જગ્યાએ પાકિસ્તાને Usman Khan ને કન્કશન સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. નિયમ મુજબ જો ખેલાડીને હેલ્મેટ અથવા માથાની આજુબાજુ ઇજા થાય તો ડોક્ટર્સ ચેક કરતા હોય છે. જરૂર પડે તો પ્લેયરને બદલી શકાય છે.

imam1

સીરીઝ તો પહેલેથી જ ન્યુઝીલેન્ડના નામ

ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા. જોકે આ મેચના પરિણામનો સીરીઝ પર કોઈ અસર થયો નહીં કારણ કે ન્યુઝીલેન્ડે પહેલેથી જ આ વનડે સીરીઝ જીતેલી છે. આ પહેલા તેઓએ T20 સીરીઝ પણ 4-1થી પોતાના નામે કરી હતી.

 

Continue Reading

CRICKET

Rohit Sharma ની ઘૂંટણની ઇજાને લઈ મહેલા જયવર્ધનેએ કર્યો ખુલાસો 

Published

on

rohit12

Rohit Sharma ની ઘૂંટણની ઇજાને લઈ મહેલા જયવર્ધનેએ કર્યો ખુલાસો.

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે આઈપીએલ 2025નો મુકાબલો રમ્યો, ત્યારે ચાહકો માટે આશ્ચર્યજનક વાત એ હતી કે Rohit Sharma ન તો પ્લેઈંગ ઇલેવનમાં હતા અને ન જ ઇમ્પેક્ટ પ્લેયરના યાદીમાં તેમનું નામ હતું. ટોસ વખતે કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે રોહિતના ઘૂંટણેમાં ઈજા છે અને તે સંપૂર્ણ રીતે ફિટ નથી, એટલે તે મેચમાંથી બહાર છે.

rohit

રોહિતનું ન રમવું ચાહકો માટે મોટો ઝટકો હતું, ખાસ કરીને એ લોકો માટે જે સ્ટેડિયમમાં ખાસ તેમને જોવા આવ્યા હતા. ત્યાર બાદ ટીમના હેડ કોચ મહેલા જયવર્ધનેએ મેદાનની બહારની વિગતો આપી. તેમણે જણાવ્યું કે રોહિતે એક દિવસ પહેલાં નેટ્સમાં બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ઘૂંટણમાં દુઃખાવો હતો અને તેઓ ઠીકથી ઊભા પણ રહી શકતા ન હતા. પરિણામે ટીમ મેનેજમેન્ટે તેમને આરામ આપવાનો નિર્ણય લીધો જેથી તેઓ સંપૂર્ણપણે ફિટ થઈ ફરીથી ટીમ સાથે જોડાઈ શકે.

Jayawardene તરફથી અપડેટ

જયવર્ધનેએ જણાવ્યું કે રોહિતના ઘૂંટણમાં ઈજા થઈ હતી. “રોહિતે નેટ્સમાં બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ પોતાના પગ પર વજન ન મૂકી શકતા. મેચના એક દિવસ પહેલા અને મેચના દિવસે પણ તેમણે ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો, પણ તેમને હજુ પણ દુખાવો અનુભવાયો. તેથી નિર્ણય લેવામાં આવ્યો કે તેમને આરામ આપવામાં આવે,” એમ જયવર્ધનેએ કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે “નેટ્સમાં જે થયું તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું.”

હારમાંથી નિરાશ લાગ્યા Jayawardene

જયવર્ધનેએ આ હારને ટીમ માટે મોટું ઝટકો ગણાવ્યું. તેમણે કહ્યું કે, “માછલા મુકાબલામાં અમે KKRને હરાવ્યા પછી સારું પ્રદર્શન કર્યું હતું અને એવું લાગતું હતું કે ટીમ લય પકડી રહી છે. પણ આજે અમારાથી કેટલીક ભૂલો થઈ. ખાસ કરીને બોલિંગમાં અમે તેમને 15-20 રન ઓછા પર રોકી શકતાં, તો પરિણામ કંઈક અલગ હોઈ શકે.”

rohit1

તેમણે વધુમાં કહ્યું, “અમારું ડિસીજન મેકિંગ પણ કેટલીક જગ્યાએ ખોટું રહ્યું. હવે અહીંથી આગળ વધવું જ જોઈએ અને ભૂલોમાંથી શીખવું પડશે. અત્યાર સુધી અમે ત્રણ મેચ ઘરથી બહાર અને એક ઘર પર રમી છે. અમારું લક્ષ્ય ઘરના બહાર પણ જીતવાની હતી, પણ હવે જરૂરી છે કે ટેબલમાં પોઇન્ટ્સ વધારીએ અને આગળ વધીએ.”

 

 

Continue Reading

Trending

Copyright © 2023 Ramat Jagat. Designed by : ePaper