CRICKET
BCCI એ IPL 2025 માટે અમ્પાયરોની યાદી કરી જાહેર , જાણો કોણ કરશે અમ્પાયરિંગ.
BCCI એ IPL 2025 માટે અમ્પાયરોની યાદી કરી જાહેર , જાણો કોણ કરશે અમ્પાયરિંગ.
IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. એ પહેલાં BCCI એ નવા સીઝન માટે અમ્પાયર પેનલની જાહેરાત કરી દીધી છે.
IPL 2025 માટે અમ્પાયરોની યાદી જાહેર
IPL 2025 માટે BCCI એ અમ્પાયરોની નવી યાદી જાહેર કરી છે. આ વખતે સાત નવા ભારતીય અમ્પાયરોને તક આપવામાં આવી છે. જેમાં સ્વરૂપાનંદ કન્નૂર, અભિજીત ભટ્ટાચાર્ય, પારાશર જોશી, અનીશ સહસ્રબુદ્ધે, કેયુર કેલકર, કૌશિક ગાંધી અને અભિજીત બેગરીના નામ સામેલ છે. ઉપરાંત, અનુભવી અમ્પાયર એસ રવિ અને સી.કે. નંદનને મેન્ટોર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થશે અને પ્રથમ મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKR અને RCB વચ્ચે રમાશે.
નવા અમ્પાયરોને તક આપવા માટે BCCI ની નવી રણનીતિ
BCCI નું માનવું છે કે IPL જેવા હાઈ-પ્રોફાઈલ ટુર્નામેન્ટમાં નવા અમ્પાયરોને તક આપવા થી તેમને દબાણભર્યા પરિસ્થિતિઓમાં અમ્પાયરિંગનો અમૂલ્ય અનુભવ મળશે. તામિલનાડુના ભૂતપૂર્વ ક્રિકેટર કૌશિક ગાંધીને પણ આ પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.
🚨 Anil Chaudhary turns commentator after 17 IPL seasons as umpire!
🔹Retires after officiating 12 Tests, 49 ODIs & 64 T20Is
🔹Farewell game – #RanjiTrophy Final 2024
🔹Joins #IPL2025 as Haryanvi & Hindi commentator
🔹Says fitness & practical knowledge key for umpires#Cricket pic.twitter.com/CfYA34yBz8— Yogesh Goswami (@yogeshgoswami_) March 20, 2025
કૌશિક ગાંધી 34 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યા છે અને અમ્પાયર તરીકે આ તેમનો બીજો સીઝન હશે. તે પહેલાથી જ મહિલા આંતરરાષ્ટ્રીય મેચો અને મહિલા પ્રીમિયર લીગમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે અને તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
Anil Chaudhary હવે કરશે કમેન્ટ્રી
IPL 2025 માં આંતરરાષ્ટ્રીય અમ્પાયરોની યાદીમાંથી શ્રીલંકાના કુમાર ધર્મસેના બહાર થઈ ગયા છે. ઉપરાંત, IPL 2024 માં અમ્પાયરિંગ કરનાર અનિલ ચૌધરી પણ આ વખતે મેદાન પર જોવા મળશે. તેમણે અમ્પાયરિંગ છોડી ને હવે કમેન્ટ્રી શરૂ કરી છે અને આ સીઝન દરમિયાન કમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે.
આ સાથે, તનમય શ્રીવાસ્તવ પણ IPL 2025 માં અમ્પાયર તરીકે નિમાઈ શકે છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) એ પુષ્ટિ કરી હતી કે તનમયને આ સીઝન માટે અમ્પાયરિંગની જવાબદારી સોંપવામાં આવી છે.
CRICKET
BCCI Central Contract: A+ ગ્રેડમાં જ રહેશે રોહિત શર્મા અને વિરાટ કોહલી, જાણો શ્રેયસ અય્યર વિશે અપડેટ
BCCI Central Contract: A+ ગ્રેડમાં જ રહેશે રોહિત શર્મા અને વિરાટ કોહલી, જાણો શ્રેયસ અય્યર વિશે અપડેટ
BCCI Central Contract: ભારતીય ઓડીઆઈ અને ટેસ્ટ ટીમના કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી BCCIની નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં A+ ગ્રેડમાં રહેશે. શ્રેયસ અય્યર વિશે પણ મહત્વપૂર્ણ અપડેટ આવ્યો છે.
BCCI Central Contract: BCCIના સૂત્રોને અનુસાર, ભારતીય ટીમને પોતાની કૅપ્ટનીમાં ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાવનાર રોહિત શર્મા BCCIની 2024-25 કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. એજ રીતે, વિરાટ કોહલી પણ પોતાનું એગ્રિમેન્ટ જાળવી રાખી A+ ગ્રેડમાં રહેશે. જ્યારે શ્રેયસ અય્યર કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ફરીથી આવશે.
રોહિત શર્માએ 2024માં ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. વિરાટ કોહલીે પણ એ જ ફાઈનલ મૅચ પછી ટી20માંથી સંન્યાસ લીધો હતો. BCCIના સૂત્રો મુજબ, ટી20માંથી નિવૃત્ત થઈને પણ તેમને A+ ગ્રેડમાં રાખવામાં ચર્ચા થઈ રહી છે, કારણ કે બોર્ડ માને છે કે આ બંને દિગ્જ ક્રિકેટરોએ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે અને તેમને આ સન્માન મળવું જોઈએ જેના તેઓ હકદાર છે.
ફેબ્રુઆરી 2024માં BCCIએ વિરાટ, રોહિત, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જડેજાને A+ ગ્રેડમાં સામેલ કર્યું હતું. ગ્રેડ Aમાં કુલ 6 પ્લેયર્સને સામેલ કરવામાં આવ્યા હતા, જોકે તેમાં શ્રેયસ અય્યરની નાન્મી હતી.
શ્રેયસ અય્યરની વાપસી
શ્રેયસ અય્યરને ગયા વર્ષે કેટલીક ડોમેસ્ટિક મેચો ન રમવા પર BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કર્યો હતો. અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેમાં તેમણે 5 પારીમાં 243 રન બનાવ્યા હતા. હવે તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી માટે તૈયાર છે.
રિપોર્ટ મુજબ, ઈશાન કિશનને આ વખતમાં પણ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવી શકે છે, કારણ કે તેને ગયા વર્ષે અય્યર સાથે બહાર કરવામાં આવ્યો હતો. ઈશાનએ 2023 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમ્યા છે.
ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ ખેલાડીઓ (2023-24)
ગ્રેડ A+
-
રોહિત શર્મા
-
વિરાટ કોહલી
-
જસપ્રિત બુમરાહ
-
રવિન્દ્ર જડેજા
ગ્રેડ A
-
આર અશ્વિન
-
મોહમ્મદ શમી
-
મોહમ્મદ સિરાજ
-
કે. એલ રાહુલ
-
શુભમન ગિલ
-
હાર્દિક પંડ્યા
ગ્રેડ B
-
સૂર્યકુમાર યાદવ
-
ઋષભ પંત
-
કુલદીપ યાદવ
-
અક્ષર પટેલ
-
યશસ્વી જૈસવાલ
ગ્રેડ C
-
રિંકુ સિંહ
-
તિલક વર્મા
-
રૂતુરાજ ગાયકવાડ
-
શારદુલ ઠાકુર
-
શિવમ દુબે
-
રવિ બિશ્નોઇ
-
જીતેશ શર્મા
-
વાશિંગટન સુંદર
-
મુકેશ કુમાર
-
સંજુ સેમસન
-
અર્શદીપ સિંહ
-
કે. એસ. ભરત
-
પ્રસિદ્ધ કૃષ્ણા
-
અવેશ ખાન
-
રજત પાટીદાર
CRICKET
Virat Kohli: “નિવૃત્તિ નહી, 2027નો વરલ્ડ કપ છે લક્ષ્ય!” વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં આપી સૌથી મોટી ખુશી
Virat Kohli: “નિવૃત્તિ નહી, 2027નો વરલ્ડ કપ છે લક્ષ્ય!” વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં આપી સૌથી મોટી ખુશી
Virat Kohli: વિરાટ કોહલીએ તાજેતરમાં જ પોતાના આગામી મોટા પગલા વિશે એક મોટી જાહેરાત કરી, અને તે ફક્ત 15 સેકન્ડમાં થઈ ગયું. એક કાર્યક્રમ દરમિયાન વિરાટે જણાવ્યું કે તેમનું આગામી મોટું પગલું શું હશે. IPL 2025 માં રમી રહેલા વિરાટે પોતાના ચાહકોને ખુશી આપી અને તેમના હૃદયમાં બેઠેલા સૌથી મોટા પ્રશ્નનો અંત લાવ્યો.
Virat Kohli: વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં સ્પષ્ટપણે કહ્યું કે તેમનું આગામી લક્ષ્ય 2027નો ODI વર્લ્ડ કપ જીતવાનું છે. વિરાટના આ નિવેદને તેની નિવૃત્તિ અંગેની બધી અટકળોને ફગાવી દીધી. તેણે કહ્યું કે તે હાલમાં નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી અને 2027 માં રમવાની સાથે સાથે વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય ધરાવે છે.
વિરાટ કોહલીના ‘વિરાટ’ શબ્દો
ચેમ્પિયન્સ ટ્રોફી પછી, વિરાટ કોહલીના ભવિષ્ય વિશે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જોકે, વિરાટે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેનું આગામી મોટું પગલું 2027નો વર્લ્ડ કપ રમવાનું અને તેને જીતવાનું હશે. એક વીડિયોમાં તેમણે કહ્યું, “મને ખબર નથી કે મારું આગળનું મોટું પગલું શું હશે, પરંતુ કદાચ એવું હશે કે હું 2027નો વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરીશ.”
Question: Seeing In The Present, Any Hints About The Next Big Step?
Virat Kohli Said: The Next Big Step? I Don't Know. Maybe Try To Win The Next World Cup 2027.🏆🤞 pic.twitter.com/aq6V9Xb7uU
— virat_kohli_18_club (@KohliSensation) April 1, 2025
IPL 2025માં વિરાટ કોહલીનું પ્રદર્શન
વિરાટ કોહલી હાલમાં IPL 2025માં શાનદાર રમી રહ્યો છે. તેણે RCB માટે અત્યાર સુધી રમેલી બંને મેચમાં 90 રન બનાવ્યા છે, જેમાં અડધી સદી પણ ફટકારી છે. વિરાટનું આ સ્વરૂપ તેને તેના આગામી મોટા લક્ષ્ય એટલે કે 2027 વર્લ્ડ કપ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે.
CRICKET
IPL 2025: ‘ગરીબોને પણ ટોચ પર રહેવા દો…’ સેહવાગે RCBનો મજાક ઉડાવ્યો, ફેન્સ થયા ગુસ્સે
IPL 2025: ‘ગરીબોને પણ ટોચ પર રહેવા દો…’ સેહવાગે RCBનો મજાક ઉડાવ્યો, ફેન્સ થયા ગુસ્સે
IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ IPL 2025માં શાનદાર શરૂઆત કરી છે. તેઓએ બે મેચ જીતી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. પરંતુ આ સફળતા છતાં, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે RCBની મજાક ઉડાવી, જે ચાહકોને પસંદ ન આવ્યું.
ક્રિકબઝ પર બોલતા, સેહવાગે કહ્યું, “ગરીબ લોકોને પણ ટોચ પર રહેવા દો, થોડા સમય માટે ફોટા પડાવવા દો. કોણ જાણે ગરીબ લોકો કેટલો સમય ટોચ પર રહેશે. તેમને ફોટા પડાવવા દો. કોણ જાણે તેઓ કેટલો સમય ટોચ પર રહેશે.” તેમણે આગળ કહ્યું, “તમને શું લાગે છે, હું પૈસા વિશે વાત કરી રહ્યો હતો? ના. તે બધા પૈસાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. ફ્રેન્ચાઇઝી દર સીઝનમાં 400-500 કરોડ કમાય છે. હું તે વિશે વાત નથી કરી રહ્યો. જેમણે એક પણ ટ્રોફી જીતી નથી, હું તેમને ગરીબ કહી રહ્યો છું.”
— Gill Media (@media_gill) March 31, 2025
સેહવાગનું આ નિવેદન RCB ચાહકો માટે ઉશ્કેરણીજનક સાબિત થયું અને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી. RCB હજુ સુધી IPL ટ્રોફી જીતી શક્યું નથી, પરંતુ 2008 થી ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. આ સિઝનમાં, તેની ટીમની બોલિંગ મજબૂત દેખાય છે, અને તેમને ટ્રોફી જીતવાનો મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી