CRICKET
CT 2025: બુમરાહની ગેરહાજરીમાં કોણ બનશે ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ?
CT 2025: બુમરાહની ગેરહાજરીમાં કોણ બનશે ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ?
Jasprit Bumrah ની ગેરહાજરીમાં અર્ષદીપ સિંહ કે હર્ષિત રાણા – કોણ ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે, તે વિશે મોટું ખુલાસું થયું છે.
Team India ને Bumrah ની ઉણપ ખટકશે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે બહાર થઈ ગયા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેમને ઈજા થઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેમની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ મોહમ્મદ શામી, અર્ષદીપ સિંહ અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે પ્લેઇંગ ઈલેવનમાં બુમરાહની જગ્યા કોણ લેશે?
કોણ હશે Bumrah નો શ્રેષ્ઠ વિકલ્પ?
બુમરાહની ગેરહાજરીમાં હર્ષિત રાણાને ટીમમાં સ્થાન મળ્યું છે, પણ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના મતે અર્ષદીપ સિંહ જસપ્રીત બુમરાહ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે. તેમણે જણાવ્યું કે,
Ricky Ponting thinks India seamer Arshdeep Singh can fill the void of pace spearhead Jasprit Bumrah at the #ChampionsTrophy 💪
More 👉 https://t.co/fj9RDg5cU4 pic.twitter.com/prV4xzYHtp
— ICC (@ICC) February 18, 2025
“હું ડાબો હાથનો ઝડપી બોલર અર્ષદીપ સિંહને બુમરાહની જગ્યા માટે પસંદ કરીશ. અમે જોઈ શકીએ છીએ કે 20 ક્રિકેટમાં તે કેટલો સરસ રમી ચૂક્યો છે. જો આપણે બોલિંગના કૌશલ્યની વાત કરીએ, તો તે નવી બોલ અને ડેથ ઓવરમાં બુમરાહ જેવું જ પ્રદર્શન આપી શકે છે, અને ભારતીય ટીમને સૌથી વધુ તેની જ જરૂર પડશે. હર્ષિત રાણાની ક્ષમતાને હું નકારી શકતો નથી, પણ ડેથ ઓવરમાં અર્ષદીપની બોલિંગ વધુ અસરકારક છે.”
Harshit Rana વિરુદ્ધ Arshdeep Singh – કોણ વધુ મજબૂત?
- હર્ષિત રાણાએ તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે વનડે અને ટી20 સિરીઝમાં ડેબ્યુ કર્યું છે.
- અર્ષદીપ સિંહ બે ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે રમી ચૂક્યો છે અને વધુ અનુભવ છે.
- અર્ષદીપ નવી બોલથી સ્વિંગ કરાવવામાં અને ડેથ ઓવરમાં વિકેટ લેવા માટે પ્રખ્યાત છે.
Indian Likely Playing XI For The Champions Trophy 2025.!
Rohit Sharma(c), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Hardik Pandya, KL Rahul(wk), Axar Patel, Jadeja, Kuldeep, Mohammed Shami, Arshdeep Singh
– Any Change For The First Game Of CT 2025.!
— Maan (@Maan8856) February 18, 2025
- અર્શદીપે અત્યાર સુધી 9 વનડે અને 63 ટી20 મેચ રમી છે, જેમાં તેણે વનડેમાં 14 અને ટી20માં 99 વિકેટ ઝડપી છે.
- હર્ષિત રાણાની ક્ષમતા શંકાસ્પદ નથી, પણ ડેથ ઓવરમાં તેની બોલિંગ અર્ષદીપ જેટલી અસરકારક નથી.
Team India નો પહેલો મુકાબલો કાલે
ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનો પહેલો મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચમાં અર્ષદીપ સિંહને બીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળવાની સંભાવના વધુ છે. ઉલ્લેખનીય છે કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ મેચ દુબઈમાં રમશે.
CRICKET
Mitchell Starc: દિલ્હીના સૌથી અમીર ખેલાડી, જાણો કેવી રીતે કમાઈ રહ્યા છે બેશુમાર દૌલત
Mitchell Starc: દિલ્હીના સૌથી અમીર ખેલાડી, જાણો કેવી રીતે કમાઈ રહ્યા છે બેશુમાર દૌલત.
Mitchell Starc, દિલ્હી કેપિટલ્સના ઘાતક પેસ બોલર, IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં જ તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટ લીધી હતી. આ સિવાય, સ્ટાર્ક તેમના વ્યકિતગત સંપત્તિ અને બિઝનેસ કમાણી માટે પણ ચર્ચામાં રહે છે.
દિલ્હી કેપિટલ્સના સૌથી અમીર ખેલાડીઓમાં મિચેલ સ્ટાર્કનો સમાવેશ થાય છે, જેમની કુલ સંપત્તિ અંદાજે 208 કરોડ રૂપિયાની છે. ક્રિકેટ ઉપરાંત, સ્ટાર્ક ઘણા બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સમેન્ટ કરે છે, જેમાં ફોર્ડ અને એસિક્સ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. આ સિવાય, સ્ટાર્ક રિયલ એસ્ટેટ અને અન્ય બિઝનેસમાં પણ રોકાણ કરે છે, જ્યાંથી તેઓ સારી કમાણી કરે છે.
દિલ્હી કેપિટલ્સ સ્ટાર્કને 11.75 કરોડ રૂપિયાની સેલરી આપે છે. તેઓ અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતા, પરંતુ હવે દિલ્હીની ટીમ માટે પરફોર્મ કરતાં તેમનું પ્રદર્શન સતત અસરકારક છે.
CRICKET
MI vs SRH : કોણ બનશે કેપ્ટન? સૂર્યકુમાર કે અભિષેક? જાણો શ્રેષ્ઠ ટીમ
MI vs SRH : કોણ બનશે કેપ્ટન? સૂર્યકુમાર કે અભિષેક? જાણો શ્રેષ્ઠ ટીમ
આઈપીએલ 2025નો 33મો લીગ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. બંને ટીમ માટે આ મેચ ખુબ જ મહત્વની છે, કારણ કે પ્લેઓફમાં પહોંચવા માટે હવે દરેક મેચ જીતવી જરૂરી બની ગઈ છે.
પોઈન્ટ્સ ટેબલ પર બંને ટીમોનું પરફોર્મન્સ સમાન
મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદે અત્યારસુધી 6-6 મુકાબલા રમ્યા છે. બંને ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં આ મુકાબલાની જીત બંને માટે પ્લેઓફ રેસને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ રહેશે.
ડ્રીમ11 ટીમમાં આ ખેલાડીઓને સામેલ કરો
તમારી Dream11 ટીમ માટે 2 વિકેટકીપર, 4 બેટ્સમેન, 2 ઓલરાઉન્ડર અને 3 બોલરો પસંદ કરી શકાય છે:
વિકેટકીપર:
- હેનરિક ક્લાસેન
- ઈશાન કિશન
બેટ્સમેન:
- સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન)
- ટ્રેવિસ હેડ
- રોહિત શર્મા
- નિતીશ કુમાર રેડ્ડી
ઓલરાઉન્ડર:
- હાર્દિક પંડ્યા
- અભિષેક શર્મા
ગેંદબાજ :
- જસપ્રીત બુમરાહ (વાઈસ કૅપ્ટન)
- પૅટ કમિન્સ
- ટ્રેન્ટ બૌલ્ટ
હેડ ટુ હેડ રેકોર્ડ: મુંબઈ આગળ
આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી 13 મુકાબલા મુંબઈએ જીતી છે જ્યારે હૈદરાબાદ માત્ર 10 મેચ જીતી શકી છે. એટલે કે આ મેચ ખુબ જ જબરદસ્ત બનવા જઈ રહી છે.
ધ્યાન આ પર રાખો:
સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા બંને સારી ફોર્મમાં છે, પરંતુ કેપ્ટન તરીકે SKY વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જયારે બુમરાહને વાઈસ કૅપ્ટન બનાવી શકાય છે.
CRICKET
Bcci Contract: રોહિત અને કોહલીને ફરીથી મળશે 7 કરોડ? BCCIના નિર્ણય માટે રાહ જુઓ ઓક્ટોબર સુધી!
Bcci Contract: રોહિત અને કોહલીને ફરીથી મળશે 7 કરોડ? BCCIના નિર્ણય માટે રાહ જુઓ ઓક્ટોબર સુધી!
બીસીસીઆઈએ હાલમાં મહિલા ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે, પરંતુ પુરુષ ટીમના કોન્ટ્રાક્ટ વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ આગામી કેટલાક મહિનાઓમાં આ મામલે નિર્ણયો લઈ શકે છે.
કોન્ટ્રાક્ટની જાહેરાત હવે ઓક્ટોબરમાં શક્ય
ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma અને પૂર્વ કેપ્ટન Virat Kohli હાલમાં IPL 2025માં વ્યસ્ત છે. જોકે, IPL પૂરો થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થશે અને આવનારા 6 મહિના બંને માટે ખૂબ મહત્વપૂર્ણ રહી શકે છે. કારણ કે બીસીસીઆઈનું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અત્યારથી ઓક્ટોબર વચ્ચે જાહેર થવાની શક્યતા છે.
સામાન્ય રીતે બીસીસીઆઈ માર્ચ સુધીમાં કોન્ટ્રાક્ટ જાહેર કરે છે, પણ આ વખતે વિલંબ થયો છે. વિશેષ કરીને રોહિત અને વિરાટના ભવિષ્યને લઈને સ્પષ્ટતા ના હોવાને કારણે.
હાલના કેપ્ટન અને પૂર્વ કેપ્ટન પર બધાની નજર
રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ હાલના ટેસ્ટ પ્રદર્શન અને ખાસ કરીને રોહિત શર્માના ભવિષ્યને ધ્યાનમાં લઈને હજુ કોઈ નિર્ણય લીધો નથી. કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ સિલેકશન કમિટી અને કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરી રહ્યો છે.
બોર્ડના સૂત્રો મુજબ, જો જરૂરી પડશે તો પાછલી જ કોન્ટ્રાક્ટ લિસ્ટ જ જારી રાખી શકાય છે, પણ ઓક્ટોબર સુધીમાં જો જાહેરાત થશે તો વાત વધુ સ્પષ્ટ થશે.
શું ફરીથી મળશે સૌથી વધુ પૈસા?
જોકે ચર્ચા રોહિત શર્માના ટેસ્ટ ભવિષ્યની છે, પણ વિરાટ કોહલીના તાજા ફોર્મને લઈ પણ પ્રશ્નો ઉભા થયા છે. બંને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમશે અને તેમનું પ્રદર્શન નક્કી કરશે કે શું તેઓ A+ કેટેગરીમાં યથાવત રહેશે કે નહીં.
હાલમાં A+ કેટેગરીમાં કુલ 7 કરોડ રૂપિયા વાર્ષિક મળતા હોય છે અને તે લિસ્ટમાં હાલ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સામેલ છે.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET5 months ago
Shreyas Iyer: શ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા હલચલ મચાવી,રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.