CRICKET
IPL 2025: ખેલાડીઓના રિટેન્શનના નિયમો અંગે નવું અપડેટ, BCCIએ લીધો અચાનક નિર્ણય
IPL 2025: ખેલાડીઓના રિટેન્શનના નિયમો અંગે નવું અપડેટ, BCCIએ લીધો અચાનક નિર્ણય
IPL 2025 આ વખતે આઈપીએલ-2025ને લઈને મેગા ઓક્શન કરવાની તૈયારીઓ થઈ રહી છે. આ કારણે મોટી સંખ્યામાં ખેલાડીઓ અહીંથી ત્યાં જશે. જોકે, BCCI દ્વારા હજુ સુધી રિટેન્શન પોલિસી જારી કરવામાં આવી નથી. હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
IPL 2025 આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. આ મેગા ઓક્શન પહેલા IPL ફ્રેન્ચાઈઝીઓએ હરાજીમાં ભાગ લેવા માટે તેમના ખેલાડીઓને મોટી સંખ્યામાં છોડવા પડશે. તે જ સમયે, આ ફ્રેન્ચાઇઝી ફરીથી તેમની ટીમમાં કેટલાક ખેલાડીઓને જાળવી રાખવામાં સક્ષમ હશે. જો કે, તેમની સંખ્યા શું હશે તે અંગેનું ચિત્ર હજુ BCCI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે IPLની રિટેન્શન પોલિસી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
આજે મુંબઈમાં બેઠક યોજાશે
ક્રિકબઝના અહેવાલ મુજબ, આજે IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ છે. રિપોર્ટ અનુસાર, આ બેઠક બેંગલુરુની ફોર સીઝન્સ હોટલમાં થઈ છે, જેમાં આ નિયમ પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ મીટિંગનો નિર્ણય બીસીસીઆઈ દ્વારા અચાનક લેવામાં આવ્યો હતો અને તમામ ફ્રેન્ચાઇઝીઓને શુક્રવારે સાંજે મીટિંગ વિશે જાણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મીટિંગ બાદ IPL રિટેન્શન પોલિસી અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે.
IPL RETENTION ANNOUNCEMENT IN 24 HOURS…!!!
– IPL GC to meet today in Bengaluru to finalise retention rules. (Cricbuzz). pic.twitter.com/H52kpj1iIy
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2024
આ સમગ્ર સસ્પેન્સનો ટૂંક સમયમાં અંત આવશે
રિટેન્શનની સંખ્યા નક્કી કરવા સાથે, મેગા ઓક્શનની તારીખ અને હરાજી સ્થળ પણ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નક્કી કરી શકાય છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મેગા ઓક્શન નવેમ્બર મહિનામાં થશે. સાઉદી અરેબિયા આ વખતે હરાજીનું આયોજન કરવા ઇચ્છુક છે, જો ગવર્નિંગ કાઉન્સિલ મંજૂરી આપે તો સાઉદી અરેબિયા આ હરાજીનું આયોજન કરી શકે છે.
Here are 5 Possible IPL Retention from each Team
: BCCI#ipl2025 #IPLRetention #KanpurTest #INDvsBAN pic.twitter.com/A3ZicingH1
— MANOJ KUMAR DUDHWAL JAT
(@dudhwal_manoj) September 28, 2024
શું નિર્ણય લઈ શકાય
અત્યાર સુધી IPLમાં માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરવાનો નિયમ હતો, પરંતુ આ વખતે તેમની સંખ્યા વધી શકે છે. ફ્રેન્ચાઇઝીઓ 3 થી 8 ખેલાડીઓને જાળવી રાખવાની માંગ કરી રહી છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI 5-6 ખેલાડીઓની સંખ્યા પર સહમત થઈ શકે છે.
CRICKET
CSK-MI: ધોની અને રોહિતના નિર્ણયથી હચમચ્યું IPL: CSK-MIની કમાણી અને જીત બંને પર સંકટ.
CSK-MI: ધોની અને રોહિતના નિર્ણયથી હચમચ્યું IPL: CSK-MIની કમાણી અને જીત બંને પર સંકટ.
આઈપીએલમાં હવે ચેન્નઈ અને મુંબઈના ચહેરા પરથી નકાબ ઊતરતો જોવા મળી રહ્યો છે. આ નકાબ MS Dhoni અને Rohit Sharma ના એક નિર્ણયના પગલે ઉતરી ગયો છે. IPL 2025માં તો કરોડોની કમાણી પર પણ સંકટ મંડરાવા લાગ્યું છે.
કોણ વધુ અસરકારક? ધોની કે CSK? રોહિત કે MI?
આ એક નિર્ણય પછી આ બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. CSK અને MI જે વિજયશ્રીથી ઓળખાતા હતા તે નકાબ ધોની અને રોહિતના કેપ્ટન પદ છોડ્યા પછી ઊતરી ગયો છે. IPLની સૌથી સફળ ટીમોમાં ગણાતી CSK અને MI હવે જીત માટે તલપાપાસ બની ગઈ છે. એવું લાગી રહ્યું છે કે નવા કેપ્ટનોએ હજુ સુધી જૂના કેપ્ટન જેવી અસર ન પેદા કરી.
કેપ્ટનશીપ છોડ્યા બાદ ચેન્નઈ અને મુંબઈનો હાલ ખરાબ રહ્યો
જ્યારે થી ધોનીએ ચેન્નઈની કેપ્ટનશીપ છોડી છે ત્યારથી ટીમને તેના કુલ મુકાબલાઓમાં માત્ર 42% જીત મળી છે, જ્યારે 68% મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, રોહિત શર્મા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો તો પણ ખરાબ દેખાવ રહ્યો છે. ટીમે માત્ર 26% મેચ જીત્યા છે.
શું નવા કેપ્ટન અસરકારક નથી?
ધોની બાદ ચેન્નઈની કમાન ઋતુરાજ ગાયકવાડે સંભાળી છે. ઋતુરાજની કેપ્ટનશીપ હેઠળ 19 મેચમાંથી ટીમે માત્ર 8 જીત્યા છે અને 11 હારી ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત બાદ હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ સંભાળી છે. હાર્દિકની આગેવાનીમાં મુંબઈએ અત્યાર સુધી 22 મેચમાંથી માત્ર 7 જીત્યા છે, જ્યારે 15માં હાર મળી છે.
કમાણી પર પણ ખરાબ અસર પડી
માત્ર જીત જ નહીં પણ ધોની અને રોહિતના હટ્યા પછી બંને ટીમોની કમાણી પર પણ માઠો અસર પડ્યો છે. IPLમાં વિજેતા ટીમને કરોડો રૂપિયાની ઇનામ રકમ મળે છે. IPL 2025માં વિજેતા માટે 20 કરોડ રૂપિયાની ઇનામ રકમ નિર્ધારિત છે. પરંતુ અત્યાર સુધીની ફોર્મ જોઈને એવું લાગી રહ્યું છે કે CSK અને MI માટે ફક્ત પ્લેઑફ સુધી પહોંચવું પણ મુશ્કેલ બનશે.
CRICKET
Virat Kohli છગ્ગાના બાદશાહ બનવાની તૈયારીમાં, રોહિત શર્માનો રેકોર્ડ જોખમમાં!
Virat Kohli છગ્ગાના બાદશાહ બનવાની તૈયારીમાં, રોહિત શર્માનો રેકોર્ડ જોખમમાં!
આજે IPL 2025માં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો રમાશે. આ મુકાબલામાં Virat Kohli, Rohit Sharma નું મોટું રેકોર્ડ તોડી શકે છે.
આજનું IPL મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ (RCB vs DC) વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. વિરાટ કોહલી પહેલેથી જ IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ચુક્યા છે. હાલ તેમના નામે 8,168 રન નોંધાયેલા છે, પણ હવે ‘કિંગ કોહલી’ છગ્ગાઓના બાદશાહ બનવાથી બહુ દૂર નથી. આજે તેઓ રોહિત શર્માના છગ્ગાના રેકોર્ડને પાછળ છોડી શકે છે.
Rohit Sharma નો રેકોર્ડ તોડી શકે છે Kohli
IPL ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના ધાકડ બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. તેઓ લગભગ ચાર વર્ષ પહેલાં IPLમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમ છતાં તેમના 357 છગ્ગાઓનું રેકોર્ડ તોડવું હજુ મુશ્કેલ માનવામાં આવે છે.
વિરાટ કોહલીએ અત્યાર સુધી તેમના 256 IPL મેચોમાં કુલ 278 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિત શર્મા 282 છગ્ગાઓ સાથે બીજા સ્થાન પર છે. જો વિરાટ આજે દિલ્હી સામેના મેચમાં 5 છગ્ગા ફટકારશે તો તેઓ રોહિતને પાછળ છોડી દેશે. કેટલાક દિવસો પહેલાં કોહલીએ એક જ મેદાન પર સૌથી વધુ છગ્ગાઓ મારવાનું રેકોર્ડ પણ પોતાના નામે કર્યું હતું, જે પહેલા ક્રિસ ગેલના નામે હતું.
IPL ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી:
- ક્રિસ ગેલ: 357 છગ્ગા
- રોહિત શર્મા: 282 છગ્ગા
- વિરાટ કોહલી: 278 છગ્ગા
- એમ.એસ. ધોની: 259 છગ્ગા
- એ.બી. ડિવિલિયર્સ: 251 છગ્ગા
વિરાટ કોહલી IPL ઈતિહાસમાં 8,000થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આજે સુધી કોઈ અન્ય બેટ્સમેન 7,000 રનની સપાટી પણ પાર કરી શક્યો નથી.
CRICKET
IPL હેડ ટુ હેડ: CSK કે KKR—ચેપોકમાં કોની રહેશે દબદબાવાળી જીત?
IPL હેડ ટુ હેડ: CSK કે KKR—ચેપોકમાં કોની રહેશે દબદબાવાળી જીત?
11 એપ્રિલે IPL 2025માં મેચ નંબર 25 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. આ મુકાબલો ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં યોજાવાનો છે. IPL 2025માં અત્યાર સુધી CSKનું પ્રદર્શન નબળું રહ્યું છે. ટીમે અત્યાર સુધીના 5માંથી ફક્ત 1 મેચ જીતી છે, જ્યારે છેલ્લી 4 મેચમાં તેને સતત હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, KKRએ 5માંથી 2 મેચ જીતી છે. બંને ટીમો આ મુકાબલો જીતવા માટે મેદાનમાં ઉતરશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
CSK અને KKR IPL ઇતિહાસની બે મોટી ટીમો છે. CSKએ 5 વખત ખિતાબ જીત્યો છે જ્યારે KKRએ 3 ટ્રોફી જીતી છે. પરંતુ હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી બંને વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે. જેમાં CSKનો પડઘો સ્પષ્ટ જોવા મળે છે. CSKએ 19 મેચમાં જીત મેળવી છે, જ્યારે KKR ફક્ત 10 મેચ જીતી શકી છે. 1 મુકાબલો રદ થયો હતો.
ચેપોક મેદાન પર બંને વચ્ચે 12 મુકાબલા થયા છે, જેમાંથી CSKએ 8 અને KKRએ 4 મેચ જીતી છે. છેલ્લા 5 મુકાબલાની વાત કરીએ તો CSKએ 3 અને KKRએ 2 મેચમાં જીત મેળવી છે. એટલે કે કુલમાં CSKનો રેકોર્ડ મજબૂત રહ્યો છે.
CSKનો ટીમ સ્ક્વૉડ
રુતુરાજ ગાયકવાડ, મથિશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમ.એસ. ધોની, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્રા, આર. અશ્વિન, ખલિલ અહમદ, નૂર અહમદ, વિજય શંકર, સેમ કરન, શેખ રશીદ, અંશુલ કમ્બોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, ગુરજંપણીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ.
KKRનો ટીમ સ્ક્વૉડ
રિકૂસિંહ, વારૂણ ચક્રવર્તી, સુનીલ નરેન, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપસિંહ, વેંકટેશ ઐય્યર, ક્વિન્ટન ડી કોક, રહમાનુલ્લા ગુર્બાઝ, અંકકૃષ રઘુવંશી, એન્રિચ નોર્કિયા, વૈભવ અરોળા, મયંક માર્કંડે, રોવમેન પાવેલ, સ્પેન્સર જોનસન, મનીષ પાંડે, લવનીથ સિસોદિયા, અજિંખ્ય રહાણે, અનુકુલ રોય, મોઇન અલી, ચેતન સકારિયા.
-
CRICKET5 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET5 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET5 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET5 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન
-
CRICKET5 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET5 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET5 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET5 months ago
IND Vs SA: જીતેલી મેચ હાર્યા બાદ પણ ઠંડકના મૂડમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ